ધો.12 વિ. પ્રવાહનાં ફોર્મ 21 ડિસેમ્બર સુધી ભરી શકાશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

2020માં ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ છે. વિદ્યાર્થીઓ લેઇટ ફી સાથે હવે 21 ડિસેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. આ પહેલા બોર્ડે ફોર્મ ભરવા માટે 30 નવેમ્બર છેલ્લી તારીખ જાહેર કરી હતી. બોર્ડ વિવિધ ત્રણ તબક્કામાં લેટ ફી સાથે વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારશે. જેમાં 1થી 10 ડિસેમ્બર દરમિયાન રૂ. 250 લેટ ફી, 11થી 20 ડિસેમ્બર રૂ. 300 લેટ ફી અને છેલ્લા તબક્કામાં 21 ડિસેમ્બર એક દિવસ માટે રૂ. 350 લેટ ફી સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OZ7yCz

Comments