મેમનગર ગુરુકુળમાં 400 વાનગીનો અન્નકૂટનો પ્રસાદ જરૂરિયાતમંદોમાં વહેંચાશે

અમદાવાદ | વચનામૃતની 200મી જયંતીએ મેેમનગર ગુરુકુળમાં વચનામૃત પૂજન-શોભાયાત્રા તથા 400 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. આ અન્નકૂટ પ્રસાદ દિવ્યાંગ તથા જરૂરિયાતમંદો લોકોમાં વહેંચાશે. 400 મહિલાએ 400 કિલો મીઠાઈ, 400 કિલો ફરસાણથી અન્નકૂટ તૈયાર કર્યો છે. શનિવારે ગુરુકુળમાં ઘનશ્યામ મહારાજના 24મા પાટોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. ત્યાર બાદ ગુલાબનાં ફૂલો વરસાવી વચનામૃતનું પૂજન કરાયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - in mamnagar gurukul the 400 dish annakut prasad will be distributed among the needy 055057


from Divya Bhaskar https://ift.tt/35O1aEZ

Comments