AMCએ ધોવાયેલા રસ્તા મુદ્દે 36 ઇજનેરના ઇન્ક્રિમેન્ટ રોક્યા

અમદાવાદ: શહેરમાં 2017માં તૂટેલા રસ્તાઓ મામલે તપાસ ગોકળગતિએ ચાલી રહી છે ત્યારે બીજી તરફ તાજેતરમાં જ જવાબદાર ઠેરવાયેલા 36 આસિ. ઇજનેર અને આસિ. સિટી ઇજનેરોને 2 થી 4 જેટલા ઇન્ક્રિમેન્ટ અટકાવી દેવામાં આવ્યા છે. આ ઇન્ક્રિમેન્ટ કાપવાને કારણે મ્યુનિ.ને 29 લાખની વસૂલાત થશે.
હલકી ગુણવત્તાને કારણે પ્રથમ વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયું હતું. આ બાબતે હાઇકોર્ટમાં થયેલી રિટ બાદ મ્યુનિ.એ તમામ રસ્તાઓની તપાસ કરાવાની હાઇકોર્ટને બાંયધરી આપી હતી. મ્યુનિ. દ્વારા 36 જેટલા અધિકારીઓ સામે પગલા લીધા હતા. તેમને બેથી ચાર ઇન્ક્રિમેન્ટ કાપવાની સજા કરી છે. દરમિયાન આ અધિકારીઓના ઇન્ક્રિમેન્ટ કાપવામાં આવે તો મ્યુનિ.ને 29 લાખની વસૂલાત થાય તેમ છે. ત્યારે એક તરફ જ્યાં રસ્તાઓ ધોવાને કારણે મ્યુનિ.ને કરોડોનો ફટકો પડ્યો છે. તેમજ નાગરિકો હેરાન પરેશાન થયા છે ત્યારે આ ક્ષૂલ્લક વસૂલાત થઇ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/35LxY1y

Comments