કંચનભૂમિમાં આજે જીરાવલા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા વિધિ

સેટેલાઇટમાં આવેલા કંચનભૂમિ ખાતે જય વિમલ નમિનાથ આરાધક શ્વે. મૂ. પૂ. જૈન સંઘમાં પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પેન્દ્રસૂરિશ્વરજી મ.સા. આદિઠાણાની નિશ્રામાં જીરાવલા પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા પંચાન્હિકા મહોત્સવ અંતર્ગત આયોજિત રથયાત્રાનું બુધવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં સાધુ-સાધ્વીજી, ભગવંતો તેમ જ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

આ ઉપરાંત પ્રભુ જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપ સ્ટેજ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમ જ રવિયાણા નિવાસી કુ. કિંજલબેનને પણ દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરાયું હતું.

ગુરુવારે સવારે 8.15 વાગ્યે જીરાવલા પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા વિધિનો શુભારંભ થશે. ત્યાર બાદ સવારે 10 વાગ્યે બૃહદ્દ અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર પૂજન કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - jirawala parsvnath39s prestige ceremony in kanchanbhoomi today 055106


from Divya Bhaskar https://ift.tt/2XZ0j1F

Comments