નીલેશ શાહ વ્યાજ સાથે નાણાં નહીં ચૂકવે તો ધરપકડ કરાશે

એન.એ કન્સ્ટ્રકશનના બિલ્ડરે હજારો લોકોને ઘરના ઘરનું સપનું બતાવીને આચરેલી છેતરપિંડી મામલે ગ્રાહક ફોરમમાં તેની ફરિયાદ નોંધાઇ હતી. ફોરમે બિલ્ડર નિલેશ શાહને 2.61 લાખ 12 ટકા વ્યાજ સહિત વર્ષ 2013થી ચુકવવા આદેશ કર્યો હતો. પરતું રકમ નહી ચુકવતા તેમને હાજર થવા આદેશ કર્યો હતો. છેવટે નિલેશ શાહે ગ્રાહક ફોરમ સામે હાજર થવંુ પડયું હતંુ. ગ્રાહકોને નાણા ચુકવવા ફોરમે 2 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. 2 જાન્યુઆરી સુધીમાં વ્યાજ સહિતની રકમ ચુકવાશે નહી તો એલીસબ્રિજ પોલીસ દ્વારા નિલેશ શાહ સામે ધરપકડ વોરંટ બજાવવામાં આવશે. એટલુ જ નહી બીનજામીનપાત્ર ધરપકડનો હુકમ થાય તો જેલની સજા પણ થઇ શકે છે.

નિલેશ શાહ ફોરમ સામે હાજર થયા ત્યારે તેમના દ્વારા છેતરાયેલા અનેક લોકો ફોરમમાં હાજર થયા હતા. 2જી જાન્યુઆરી સુધીમાં નાણા જમા ન કરાવાય તો નિલેશ સામે 28 કેસમાં નોન બેલેબલ વોરંટ કાઢવાનો હુકમ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Y5iFhn

Comments