નિત્યાનંદ આશ્રમ સામેની પોલીસ તપાસ યોગ્ય હોવાનો સરકારનો દાવો

અમદાવાદ: હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાંથી બાળકોને મળવા દેતા પોલીસ રોકી રહી હોવાથી કેસની તપાસ સ્વતંત્ર તપાસ એજન્સીને સોંપવા હાઇકોર્ટમાં 3 વાલીઓએ અરજી કરી હતી. તેમાં પોલીસ તપાસ યોગ્ય દિશામાં નહીં થતી હોવાથી અન્ય તપાસ એજન્સીને તપાસ સોંપવા દાદ માગી છે. સરકારે રજૂ કરેલા સોંંગદનામામાં પોલીસ તપાસ સામે કરેલા આક્ષેપો પાયાવિહોણા ઠેરવ્યા છે. સરકારના સોંગદનામાનો જવાબ આપવા વાલીઓએ સમય માગ્યો છે. વધુ સુનાવણી 12 ડિસેમ્બરે હાથ ધરાશે.
નિત્યાનંદ આશ્રમમાં આવેલી ગુરુકુળમાં ભણતા બાળકોના 3 વાલીઓએ હાઇકોર્ટમાં પોલીસ તપાસ સામે અરજી કરી છે.પોલીસ તેમના બાળકોને મળવા દેતી નથી, આશ્રમમાં કોઇને આવવા દેતી નથી. તપાસના નામે બાળકોને અને વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. બાળકોને અશ્લીલ વીડિયો ક્લિપ દર્શાવવામાં આવી રહી છે. તેથી તટસ્થ તપાસ માટે એજન્સીની માગ કરતી રીટ કરી હતી.
નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં સ્પેશિયલ ઇનવેસ્ટિગેશન કરાનારી એક ટીમ નિત્યાનંદના બેંગ્લોર ખાતેના આશ્રમની તપાસ માટે ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બેંગ્લોર ખાતે નિત્યાનંદ સામે કોઈ પ્રકારના ગુના નોંધાયા છે કે કેમ અને ત્યાં આશ્રમમાં કયા પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. બેંગ્લોરમાં તપાસ થયા બાદ નિત્યાનંદ સામે વધુ કાર્યવાહી થશે. બીજી તરફ ત્રિનિદાદથી બંને બહેનો છેલ્લા બે દિવસથી પોલીસ સાથે સંપર્કમાં નહીં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાત હાઇકોર્ટ-ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2OwMYL0

Comments