અમદાવાદના એસજી હાઇવે પર આવેલા એક જમીનના વિવાદને કારણે વિક્રાંત પાંડેની બદલી હાલ કેન્દ્ર સરકારમાં કરી દેવાઇ હોવાનું સરકારના સૂત્રોએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી થયેલા હુકમ પ્રમાણે વિક્રાંત પાંડેની આ નિમણૂક પાંચ વર્ષ માટે અથવા તો અન્ય નવો હુકમ ન થાય ત્યાં સુધી રહેશે. આમ, લગભગ પાંચ વર્ષ સુધી પાંડેને ગુજરાત પરત ફરવા ન મળે તેમ બની શકે. 2005ની બેચના અધિકારી એવા વિક્રાંત પાંડે આ પૂર્વે રાજકોટ, ભરૂચ અને વલસાડ જિલ્લામાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જ્યારે નિરાલા પાટણ અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હાલમાં જ તેઓ વિદેશમાંથી લાંબી ટ્રેનિંગ લઇને પરત ફર્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OrxM1w
Comments
Post a Comment