14 તળાવ ભરવા માટે જાસપુરથી ખોરજ સુધી પાઈપલાઈન નખાશે

અમદાવાદ | શહેરના 14 તળાવો ભરાયેલા રહે તે માટે મ્યુનિ. જાસપુરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ખોરજ સુધી એક પાઇપ લાઇન નાંખશે. વોટર કમિટીએ 4.42 કરોડના કામને મંજૂરી આપી છે. એસ.જી. હાઇવે ખોદયા સિવાય પાઇપલાઇન નખાશે.

એસજી હાઇવે ખોદ્યા સિવાય પાઈપલાઈન નખાશે

શહેરમાં આવેલા તળાવો ચોમાસા બાદ સુકા બની જાય છે અથવા તો તેમાં ગટરના ગંદા પાણીથી ભરવામાં આવે છે. આ સમસ્યાના નિકાલ માટે મ્યુનિ. દ્વારા વિશેષ રીતે આ તળાવોને નર્મદાના પાણીથી ભરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. તે માટે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નજીક નર્મદા કેનાલથી ખોરજ તળાવ સુધી એક 1200 મીમી વ્યાસની આરસીસી, એનપી-3 ક્લાસની ગ્રેવીટી પાઇપલાઇન નાંખવામાં આવશે. જેના દ્વારા તે પાણી ખોરજ તળાવ અને ત્યાંથી ઇન્ટરલિકિંગ દ્વારા અન્ય તળાવોમાં પણ નર્મદાના પાણી ભરવામાં આવશે. આ માટે તંત્રને નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી મંજૂરી મળી ગઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad News - 14 a pipeline from jaspur to khoraj will be laid to fill the lake 055048


from Divya Bhaskar https://ift.tt/2MCGJEa

Comments