અડાલજમાં ત્રીજીએ બ્રહ્મ સમાજનું પસંદગી સંમેલન

સોલા ભાગવત વિદ્યાપીઠમાં સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વ્ારા 29 ડિસેમ્બરે જીવનસાથી પસંદગી સંમેલન યોજાવાનું હતું, પરંતુ હવે આ પસંદગી સંમેલન સમસ્ત બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટ દરમિયાન યોજાશે. અડાલજના ત્રિમંદિરમાં આગામી 3, 4 અને 5 જાન્યુઆરીએ સમસ્ત બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટના યુવા પ્રમુખ પાર્થ રાવલે જણાવ્યું કે, સમિટના પહેલા દિવસે જ જીવનસાથી પસંદગી સંમેલન યોજાશે, જેમાં સવારે 9 વાગ્યે બુક વિતરણ કરવામાં આવશે. આ બિઝનેસ સમિટ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી અપાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2QbUwUn

Comments