ધાર્મિક લાગણી દુભાવવા બદલ રવિના ટંડન, ફરહાનનો વિરોધ

ખ્રિસ્તી સમાજની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન, ફરાહખાન, ભારતીસિંઘ, સહિત 6 સામે કાયદાકીય પગલા ભરવા માટે ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેમજ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી પણ કરવામાં આવી છે.

ખોખરામાં રહેતા એડવોકેટ બ્લેસો ક્રિસ્ટી, ઓનિલ ક્રિશ્ચિયન, રોજર પરમાર અને નેલ્સન ક્રિશ્ચિયન સહિતના અગ્રણીઓએ રજૂઆત કરી છે કે, બાઇબલમાં એક પવિત્ર શબ્દ છે જેનો અર્થ પરમેશ્વરની જય થાય છે જેનો શૉમાં ખોટી રીતે ઉપયોગ કરાયો છે.

બેક બેન્ચર્સ શૉમાં ટિપ્પણી કરી હતી

ફ્લિપકાર્ટની ઓનલાઇન ચેનલના બેક બેન્ચર્સ શૉમાં કોમેડિયન ભારતિસિંઘ દ્વારા બાઇબલમાં લખાયેલો પવિત્ર શબ્દનો ખોટી રીતે સ્પેલિંગ લખવામાં આવે છે. જેના પર શૉના સંચાલક ફરાહખાન અને અને જાણિતી હિરોઇને રવિના ટંડન બિભત્સ કમેન્ટો કરે છે અને તમામ મજાક ઉડાવી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2tgvtGu

Comments