પરિણીતાએ પુત્રીને જન્મ આપતાં સાસરિયાંએ ઘરમાંથી કાઢી મૂકી

ઈસનપુરમાં રહેતી પરિણીતાને તેના સાસરિયા દહેજની માગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન પરીણિતા ગર્ભવતી બની ત્યારે પણ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું, જોકે સાસરિયાને છોકરો જોઈતો હોવાથી પરિણીતાએ છોકરીને જન્મ આપતા સાસરિયાંઓએ રોજ મેણાંટોણાં મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આમ તંગ આવી ગયેલી પરિણીતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં સાસરિયાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

પરિણીતાએ તેની ફરિયાદમાં એવી આક્ષેપો કર્યા છે કે, જાન્યુઆરી 2019માં મણિનગરમાં રહેતા યુવક સાથે તેનાં લગ્ન થયાં હતાં. લગ્નના થોડા મહિના સુધી સાસરિયાએ પરિણીતાને સારી રીતે રાખી હતી, પરંતુ થોડા દિવસો બાદ તું પિયરમાંથી દહેજમાં કંઈ લાવી નથી તેમ કહીને મહેણા ટોણા મારીને ત્રાસ આપતા હતા.

દરમિયાન સાસુ, સસરા, બે નંણદ, દિયર અવાર નવાર પતિની ચઢામણી કરીને દહેજની માંગણી કરાવતા જેથી પતિ અવારનવાર પરિણીતા સાથે મારઝૂડ કરતો હતો. દરમિયાન તે ગર્ભવતી બની હતી, ત્યારથી જ સાસરિયાઓ તેની પાસે દીકરાની અપેક્ષા રાખતા હતા.

જોકે દીકરાને બદલે દીકરીનો જન્મ થતાં પરણિતાને મેણાટોણા મારીને છોકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી, આથી તંગ આવેલી પરિણીતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા, બે નંણદ તથા દિયરના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MCjWrU

Comments