GTUના કુલપતિ તરીકે ડો. નવીન શેઠની પુન: નિમણૂક

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

જીટીયુના કુલપતિ તરીકે રાજ્ય સરકારે શુક્રવારેે ડો. નવીન શેઠની બીજી ટર્મ માટે નિમણૂક કરી છે. તેઓ જીટીયુના પૂર્વ કુલપતિ ડો. અક્ષય અગ્રવાલની જેમ સતત બીજી ટર્મ માટે, ત્રણ વર્ષ માટે નિમણૂક મેળવનારા બીજા કુલપતિ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે કુલપતિ ડો. નવીન શેઠના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતી સહિતના મુદ્દે શિક્ષણ વિભાગમાં, રાજ્ય સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરાઈ હતી. જેને લઈને વિવાદ સર્જાતા તેમને બીજી ટર્મ માટે રિપીટ કરાશે કે નહીં તેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું, તેવામાં સરકારે તેમની ફરી નિમણૂક કરવાની જાહેરાત કરી દીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37gkxHy

Comments