લોકો તણાવમુક્ત, તંદુરસ્ત, જીવન જીવી શકે તે હેતુસર ખાનપૂરમાં આવેલી એચ બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન અને મેનેજમેન્ટમાં 15 ફેબ્રુઆરીથી ‘સર્ટિફિકેટ કોર્સ ઈન હેલ્થ એન્ડ હેપીનેસ પ્રોગ્રામ’ શરૂ થશે. આ કોર્સમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારને કેમ્પસનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ કોર્સમાં યોગ, પ્રાણાયામ, લાફિંગ થેરાપી, એક્યુપ્રેશન, આધ્યાત્મિકતા, ધ્યાનને લગતી બાબતો શીખવાડાશે. આ ઉપરાંત જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર માટે માર્ગદર્શન આપવામાં આવશે.
ફેબ્રુઆરીથી મે સુધી શનિ, રવિ આ કોર્સ ચાલશે
આ કોર્સમાં કોઈપણ વયજૂથના ઉમેદવાર કે જેમને કોઈ મોટી શારીરિક સમસ્યા ન હોય તેવા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે. કોર્સમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારે ખાનપુર ખાતે ભવન્સ ઈન્સ્ટિટ્યૂટમાં સંપર્ક કરવાનો રહેશે. ફેબ્રુઆરી મહિનાથી મે દરમિયાન દર શનિવાર અને રવિવાર એમ બે દિવસ સવારે 7 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી આ કોર્સનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ કોર્સની ફી રૂ. 3500 રાખવામાં આવી છે.
રૂ. 3500 ફી ભરીને આ કોર્સમાં એડમિશન મેળવી શકાશે
કોર્સમાં યોગ, પ્રાણાયામ, લાફિંગ થેરપી વિશે શિખવાડાશે
યોગ, હાસ્ય સંબંધિત બાબતો જણાવાશે
સમાજના વિવિધ વર્ગના, વિવિધ વયજૂથના નાગરિકો આ સર્ટિફિકેટ કોર્સના પ્રશિક્ષણ થકી ખુશહાલ જીવન જીવવા માટેના પ્રાથમિક સિદ્ધાંતોની સમજણ મેળવી શકે તે માટે આ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સમાં યોગ, પ્રાણાયામ,આરોગ્ય વિષયક,હાસ્ય સબંધિત ઉપયોગી બાબતોની સમજણ નિષ્ણાતોના માધ્યમથી આપવામાં આવશે. > કોર્સ કો-ઓર્ડિનેટર, સર્ટિફિકેટ કોર્સ ઇન હેપીનેસ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37M4zG3
Comments
Post a Comment