સેટેલાઈટમાં જ્વેલર્સને કેફી પદાર્થ સૂંઘાડી દુકાનમાંથી રૂ.56 લાખના દાગીના લૂંટી જવાની ઘટનામાં પોલીસે તપાસ કરતા જ્વેલર્સ દેવામાં ડૂબેલો હોવાથી રૂ.90 લાખનો વીમો પકવવા લૂંટનું તરકટ રચ્યું હોવાનું બહાર આવ્યું છે.
27મી જાન્યુઆરીએ સેટેલાઈટના રેવતિ ટાવરમાં આર.એસ. જ્વેલર્સમાંથી રૂ. 56 લાખની લૂંટની ફરિયાદ વેપારી ભૌમિક શાહે નોંધાવી હતી. દરમિયાન પોલીસે દુકાનના સીસીટીવી ચેક કરતા તે બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ઊલટ તપાસ કરતાં વેપારી ભૌમિક શાહ ભાંગી પડ્યો હતો અને તેણે દેવુ વધી જતાં લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી.
સેટેલાઈટમાં રૂ.56 લાખની લૂંટની ફરિયાદ કરનારા વેપારીએ પોલીસ સમક્ષ કબૂલ્યું
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RJrv31
Comments
Post a Comment