વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો


ગોતામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસે બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોતાના શ્રીપદ રેસિડેન્સીમાં રહેતા બલદેવ ગુજ્જરે નોંધાવેલી ફરિયાદ અનુસાર પિન્ટું રબારી અને કિરણ રબારી પાસેથી રૂ.7 લાખ વ્યાજે લીધા હતા અને મકાનના બાનાખત કરાવ્યા હતા. ત્યારબાદ બન્ને વ્યાજખોરો મકાનમાં પોતાનો સામાન મૂકીને આવ્યાં હતાં. ત્યારબાદ વધુ વ્યાજની લાલચ રાખીને અવારનવાર તેને હેરાન કરતા હતા, તથા ઘર પડાવી લેવાની ધમકીઓ આપતા હતા.

આથી તંગ આવીને બલદેવભાઈએ પોતાના ઘરે ઊંઘની દવા ખાઈ લીધી હતી. ઘટનાની જાણ તેમની પત્નીને થતા તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા, બીજી તરફ સોલા પોલીસને ઘટનાની જાણ થતા હોસ્પિટલ દોડી આવી હતી અને બન્ને વ્યાજખોર સામે ફરિયાદ નોંધી હતી.

સોલા હાઇકોર્ટ પોલીસમાં બે સામે ફરિયાદ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2GO0Yep

Comments