ચિન્મય મિશનમાં વિદ્યાર્થીઓએ સરસ્વતી પૂજા કરી


ચિન્મય મિશનના પરમધામમાં વસંતપંચમી નિમિત્તે સ્વામી અવ્યયાનંદજીએ વિદ્યાર્થીઓને વિશેષ શિબિર યોજીને વસંત પંચમી વિશે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું તેમ જ સરસ્વતી પૂજા કરાવી હતી, જેમાં તેમણે ફૂલ અને અક્ષતથી માની પૂજા કરી હતી. ઉપરાંત સરસ્વતી દેવીનાં 108 નામ એટલે કે તેમના વિશેષ ગુણો માટે સમૂહ અર્ચના કરી હતી. પૂજાનું મહત્ત્વ વર્ણવતાં સ્વામીજીએ કહ્યું કે, પરીક્ષા માટે જે વાંચેલું યાદ રહે, યોગ્ય રીતે લખી શકીએ અને વિવિધ તબક્કે સફળ થઈએ તે માટે સરસ્વતીની કૃપા આવશ્યક છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2S3H2JU

Comments