નરોડામાં સાસુની હત્યા કરનાર જમાઇને આજીવન કેદની સજા


નરોડામાં સાસુની હત્યા કરનાર જમાઇ રવિ ઠાકુરને એડિ.સેશન્સ જજ એ.એમ.મેમણે દોષિત ઠરાવી આજીવન કેદની સજાનો આદેશ કર્યો છે. સ્વામિનારાયણ પાર્કમાં રહેતા ચાંદની ઠાકુરે પતિ રવિ ઠાકુર સામે ફરિયાદ નોંધાવી હતી. વિરાટનગરમાં જમાઇ રવિ ઠાકુર સાસુને બાઇક પર બેસાડી ઘરે લાવ્યો હતો. ચાંદનીને જાણ થતા તે પોતાના ઘરે ગઇ હતી. ત્યારે ઘરમાં માતા અનુરાબેનની લાશ પડી હતી. આ કેસમાં સરકારી વકીલ મિનલ ભટ્ટે 29 સાક્ષી, 32 દસ્તાવેજી પુરાવા તપાસ્યા હતાં. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજા કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31c5tZI

Comments