સરસપુર ITIમાં આજે રોજગાર મેળાનું આયોજન


સરસપુર આઈટીઆઈ ખાતે 1 ફેબ્રુઆરી શનિવારે સવારે રોજગાર મેળો, એપ્રેન્ટિસશિપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, આઈટીઆઈ પાસ ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો, આધારકાર્ડ, ફોટોગ્રાફ, બાયોડેટા સાથે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ભરતી મેળામાં નામાંકિત કંપનીઓ સ્થળ ઉપર નિમણૂકની કાર્યવાહી કરનાર હોવાથી આ રોજગાર મેળાનો લાભ લેવા માટેની સૂચના આપવામાં આવી છે. આ રોજગાર મેળામાં ધોરણ 10, 12 પાસ અને આઈટીઆઈ પાસ ઉમેદવારો ભાગ લેશે. વિવિધ પોસ્ટ માટે તેમના ઇન્ટરવ્યૂ લીધા બાદ તેમને નોકરીની ઓફર કરવામાં
આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/37O8RfN

Comments