ગુજરાત યુનિવર્સિટીમાં ચૂંટણીલક્ષી કામગીરી કરનારા કર્મચારીને ધક્કે ચડાવનારા કાર્યકરોની સામે પગલાં ભરવા માટે એનએસયુઆઈએ શુક્રવારે રજૂઆત કરી છે, જેમાં આક્ષેપ કર્યો છે કે, એબીવીપીના કાર્યકરો દ્વારા ટપલીઓ મારવામાં આવી હતી, જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે. આથી આવા લોકો સામે તાત્કાલિક ફોજદારી કેસ કરવામાં આવે. ઉપરાંત વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલ્ફેૅરની ચૂંટણી માટેની ચૂંટણીલક્ષી કામગીરી કરનારા કર્મચારીઓ- અધિકારીઓને પોલીસ પ્રોટક્શન આપવામાં આવે. જો કોઈ અધિકારી ચૂંટણીલક્ષી કામગીરી કરવા તૈયાર ન હોય તો નિષ્પક્ષ એજન્સી થકી ચૂંટણીની કાર્યવાહી કરવામાં આવે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36S1u64
Comments
Post a Comment