નિકોલમાં ઘરફોડ, તસ્કરો 1.75 લાખની મતા ચોરી ગયા


મૂળ રાજસ્થાનના અને હાલ નિકોલના દેવનંદન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્નાબેન ચૌધરીના પતિ રાજસ્થાન ગયા હોવાથી તેઓ પિયરમાં રહેવા ચાલ્યા ગયા હતા. દરમિયાન સોમવારે ક્રિષ્નાબેનને તેમના પાડોશીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારા ઘરના દરવાજાનું તાળું તુટેલું છે, આથી ક્રિષ્નાબેનના પિતા વિજયસિંહ તેમના ઘરે જઈને જોયું તો મકાનનો દરવાજાનું તાળું તુટેલું હતું. તપાસ કરતા બેડરૂમમાં મૂકેલી લોખંડની તિજોરીમાં મૂકેલા સોનાચાંદીના દાગીના તથા રોકડા મળીને કુલ રૂ.1.75 લાખની મતા ન હતી, આ અંગે ક્રિષ્નાબેને નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2T5YE9X

Comments