એરપોર્ટ ઓથોરિટી, પાલિકા, બિલ્ડરના પાપે 250 ફ્લેટ ધારકોનો વિશ્વાસ રૂંધાયો

સુરતઃ સુરત એરપોર્ટના વેસુ તરફ નડતરરૂપ 48 બિલ્ડીંગ મામલે ડીજીસીએ દ્વારા બિલ્ડરોને આગામી 4 તારીખે હીયરીંગ માટે બોલાવતા બિલ્ડરોએ તેની જાણ ફ્લેટ ધારકોને કરતા અંદાજિત 100 ફલેટ ધારકોએ એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈની સમક્ષ પહોંચી ગયા હતાં અને પર્સનલ હિયરીંગની નોટીસ માટે જવાબ રજૂ કરવા માટે ડીજીસીએ 2થી 3 મહિનાનો સમય આપે તેવી માંગકરી હતી. જેથી પેપર વર્ક યોગ્ય રીતે કર્યા બાદ પોતાનો પક્ષ મૂકી શકાય. ડાયરેક્ટરે ફ્લેટ ધારકોની વાત સાંભળ્યા બાદ કહ્યું હતું કે મામલો ડીજીસીએ પાસે પહોંચ્યો છે જેથી સ્થાનિક સ્તરે કશું થઇશકે એમ નથી. જો સમય વધારવો હોય તો ડીજીસીએને મેલ કરી શકો છો અથવા લેખિતમાં આપી શકો છો.

નડતરરૂપ બિલ્ડીંગો મામલે હાઇકોર્ટમાં પણ પીઆઇએલઃ ડીજીસીએ દ્વારા 2 મીટરથી લઇ 11 મીટર સુધીના નડતરરૂપ બાંધકામો કેમ ન તોડવા, તે બાબતે પર્સનલ હિયરીંગ કમડિમોલિશનની નોટીસ આપી છે. જો કે ડિજીસીએએ પર્સનલ હિયરીંગમાં રજૂઆત માટેની તક એનઓસી મેળવનાર બિલ્ડરને આપી છે અને મુંબઇમાં આવેલી ડિજીસીએ ઇન્ટીગ્રેટેડઓપરેશનલ ઓફિસમાં 4 માર્ચ સુધી રજૂઆત કરવાની તક આપી છે.ઉલ્લેખનીય છે કે નડતરરૂપ બિલ્ડીંગો બાબતે હાઇકોર્ટમાં પીઆઈએલ પણ થઇ છે.

શું છે વિવાદ? - 250 ફ્લેટ ધારકોને 4 નોટીસ છતાં તંત્રના પેટનું પાણી ન હલ્યું
સુરત એરપોર્ટ આસપાસ ફ્લાઇટને ટેક ઓફ અને લેન્ડિંગ માટે નડતરરૂપ બિલ્ડીંગો મામલે વર્ષ 2017માં પહેલી વાર ફ્લેટધારકોને નોટિસ આપી જણાવ્યુ હતું કે જે તે બિલ્ડીંગનો અમુક મીટરભાગ નડતરરૂપ છે. તમામ બિલ્ડીંગો વર્ષ 2007 બાદ બની હતી જે મામલે સ્થાનિક તંત્ર અને એઆઇ દ્વારા એનઓસી આપી દેવામાં આવી હતી અને લોકો વસવાટ કરવા લાગ્યા હતા.જે તેબિલ્ડિંગના સેક્રેટરી અને પ્રેસિડેન્ટને નોટિસ મળ્યા બાદ વસવાટ કરતા લોકોને ખ્યાલ આવ્યો કે પોતાના ઘરો પર જોખમ તોળાઈ રહ્યું છે. પહેલી નોટીસનો કોઈ જવાબ અપાયો ન હતો. ત્યાર બાદ2018-19માં ફરી નોટિસ અપાતા જવાબમાં બિલ્ડિંગના સેક્રેટરી પ્રેસિડેન્ટ દ્વારા જણાવાયુ હતું કે અમને આ બાબતે કોઈ જાણ નથી અને અમુક ફ્લેટધારકોને લોન પણ મળી ચુકી છે.જો કશે કશુંખોટું થયું હોય તો લોન કેવી રીતે મળી ? ફ્લેટધારકોના જવાબ બાદ હવે આ મામલો ડીજીસીએ પાસે પહોંચ્યો છે.

વિવાદના વિલન
બિલ્ડરની ચાલાકી - બિલ્ડરો દ્વારા એરપોર્ટ નજીક આવેલી ઇમારતો મામલે ચાલાકી વાપરી આર એન્ડ બી વિભાગ પાસે સર્ટિફિકેટ મેળવી લીધી હતું. આર એન્ડ બીના સર્ટિફિકેટના આધારે એસએમસી અને એએઆઈને ઉઠા ભણાવવામાં આવ્યા હતા.
ઢીલી પાલિકા નિતી - બિલ્ડરોએ આર એન્ડ બીના સર્ટિફિકેટ રજૂ કરતા એસએમસીએ એનઓસી આપી દીધી. માત્ર ટીપી અને એફપીને આધાર બનાવવામાં આવ્યો હતો.ખરેખર લોકેશન અને રજૂ કરેલા લોકેશનનો તફાવત પકડવામાં એસએમસી આ મામલે કાચી પડી હતી.
આંખ આડા કાન કરતું AI - બિલ્ડરો દ્વારા એસએમસીની એનઓસી રજૂ કરાતા એએઆઇએ બાંધકામ પર મંજુરીની મહોર મારી દીધી. સ્થાનિક તંત્રની એનઓસીને આધારે એએઆઈની મંજુરીથી બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા હતા.

હવે આગળ શું ? - ફ્લેટ ધારકો પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ
હીયરીંગમાં ડીજીસીએ સમક્ષ સંતોષકારક આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો ડીજીસીએ નડતરરૂપ બિલ્ડીંગોનો અમુક ભાગ તોડી પાડવા આદેશ કરી શકે છે. બિલ્ડરો પાસેડીજીસીએની વાત ન માની કોર્ટમાં જવાનો વિકલ્પ પણ રહશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરત મહાનગરપાલિકા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/383c3U4

Comments