સાબરમતીના આશ્રય ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા નિકુલભાઈ અધ્વર્યુ રવિવારે સાંજે માણકી સર્કલ પાસે આવેલ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે દરમિયાન એટીએમ કેબિનમાં એક શખસ અગાઉથી ઊભો હતો. તેણે નિકુલભાઈને પૈસા કાઢવાનું કહ્યું હતું, આથી નિકુલભાઈ એટીએમમાંથી પૈસા કાઢી રહ્યા હતા, ત્યારે તેણે તેમનો પાસવર્ડ જાણી લીધો હતો. ત્યારબાદ નિકુલભાઈની નજર ચૂકવીને એટીએમકાર્ડ બદલી બીજુ એટીએમ કાર્ડ આપી દીધું હતું. થોડા સમય પછી આ ગઠિયાએ 45 હજાર ઉપાડી લીધા હતા. આ અંગે નિકુલભાઈએ અજાણ્યા યુવકા સામે સાબરમતીમાં ફરિયાદ નોંધાવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VmQ2gx
Comments
Post a Comment