ઘાટલોડિયા કે.કે.નગર શિલ્પ ગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપભાઇ ઓમકારનાથ બામજાયી(53) છેલ્લા 10 વર્ષથી આ મકાનમાં એકલા જ રહેતા હતા. દરમિયાનમાં શનિવારે એકાએક તેમના મકાનમાંથી અત્યંત દૂર્ગંધ આવતી હોવાથી સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા ઘાટલોડિયા પોલીસ આવી પહોંચી હતી. પોલીસે ફલેટનો દરવાજો તોડીને જોયું તો કુલદીપભાઇનો મૃતદેહ પડયો હતો. કુલદીપભાઇ માનસિક રીતે અસ્વસ્થ હતા અને ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. જેથી કુદરતી રીતે તેમનું મૃત્યુ થયુ હોવાનું જાણવા મળ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aidYGc
Comments
Post a Comment