પરમધામમાં ટ્રીવૉક્સ ફાઉન્ડેશને વેસ્ટ મેનેજમેન્ટ અને ટોક્સિન ફ્રી લિવિંગ અંગે વર્કશોપ યોજ્યો


ચિન્મય મિશનના પરમધામ આશ્રમ ખાતે ટ્રીવૉક્સ ફાઉન્ડેશન દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ અને ટોક્સિન ફ્રી લિવિંગ વિશે વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં ટ્રીવૉક્સ સંસ્થાના લોકેન્દ્ર બાલાસરિયાએ ઘરમાં વપરાતાં શાકભાજી અને ફળોની છાલ-પાંદડામાંથી ખાતર અને બાયોએન્ઝાઇમ્સ કઈ રીતે બનાવવાં અને તેની સમજ આપી હતી. ઘરમાંથી જ કચરાનો યોગ્ય નિકાલ કરીને પ્રદૂષણ અટકાવવામાં જો સામાન્ય માણસ યોગદાન આપે તો ક્લાઇમેટ ચેન્જમાં પોઝિટિવ ચેન્જ લાવી શકાય તે ઉદ્દેશથી ચિન્મય મિશને વર્કશોપ યોજ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VwJb4l

Comments