રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલા ભળેલા અનેક ગ્રામ્ય વિસ્તારોના મૂળ ગામતળના રસ્તાઓનું પણ સમારકામ મ્યુનિ. તંત્ર દ્વારા કરવા સૂચન કરવામાં આવ્યું છે. તે રસ્તાઓનો ટી.પી. હેઠળ સમાવેશ ન થયો હોય તો પણ આવા રસ્તાઓની જાળવણી કરવા સૂચનો કરાયા છે. ગ્રામ્ય વિસ્તારોને અમદાવાદ શહેરમાં ભેળવ્યા બાદ કેટલાક ગામતળના રસ્તાઓને ફરીથી બનાવવાનું છોડી દેવામાં આવે છે. તે રસ્તાઓને પણ રિસર્ફેસ હેઠળ સમાવી લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે. જેથી આ રસ્તાઓનો યોગ્ય ઉપયોગ કરી શકાય. બોપલ અને આંબલીના કેટલાક રસ્તાઓનો પણ ઉલ્લેખ થયો હતો. જે રસ્તાઓને દૂરસ્ત કરવાની ચર્ચા આ બેઠકમાં થઇ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2uwRull
Comments
Post a Comment