મમતા-શાહે સાથે બેસી બૈંગન ફ્રાય, ગુચ્ચી પનીર, ટામેટાની ચટણી ખાધી અને ફરી શાહે કહ્યુ- CAA પર વિપક્ષ દેશમાં તોફાન કરાવે છે
ભુવનેશ્વર: ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ઓડિસ્સા પહોંચ્યા હતા. ભુવનેશ્વરમાં CAAના સમર્થમાં યોજાયેલી રેલીને સંબોધતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ તેના 55 વર્ષના શાસનની તુલના ભાજપના 5 વર્ષના શાસન સાથે કરે. શાહે કહ્યું કે CAA મુદ્દે વિપક્ષ ભ્રમ ફેલાવી રહ્યું છે. લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. તોફાન કરાવાઈ રહ્યા છે. નહેરુ અને સરદાર પટેલ જેવા નેતાઓએ જે વચન આપ્યું હતું મોદી સરકાર તેને પૂરા કરી રહ્યા છે. તેમણે વિપક્ષને પડકાર ફેંકતા કહ્યું કે CAAની કઈ જોગવાઈમાં નાગરિકતા લેવાની વાત છે તે પુરવાર કરે.
તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ મુસ્લિમ ભાઈબહેનની નાગરિકતા નહીં જાય. બીજીબાજુ દિલ્હીમાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સોનિયા ગાંધી લોકોની વચ્ચે જઈને ભડકાઉ ભાષણ આપે છે. સીએએ લોકશાહી રીતે લવાયું છે. છતાં પણ કોંગ્રેસ તેનો વિરોધ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3afDOuq
Comments
Post a Comment