મુંબઈઃ કોરોના વાઈરસ સામેના જંગમાં મેડિકલ સાધનો, હોસ્પિટલો, દવા સંશોધનો, ગરીબોને ભોજન સહિતની સુવિધા માટે જંગી ભંડોળની જરૂર છે. આ માટે તાતા ટ્રસ્ટે પણ રૂ. 500 કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તાતા જૂથના ચેરમેન રતન તાતાએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ તાતા જૂથ 1000 કરોડ રૂપિયા આપશે. આ નાણાંનો ઉપયોગ કોરોનાગ્રસ્તોની સારવારમાં રોકાયેલા આરોગ્ય સ્ટાફ તથા અન્ય સુવિધા માટે થશે. આ ઉપરાંત બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી હતી કે, કોરોના સામેની લડાઈમાં બીસીસીઆઈ શક્ય તમામ મદદ કરવા તૈયાર છે. આ ઉપરાંત અમે પીએમ કેર્સ ફંડમાં રૂ. 51 કરોડ પણ જમા કરાવીએ છીએ. આ સાથે અભિનેતા અક્ષય કુમારે પણ એક ટ્વિટ કરી હતી કે, ‘અત્યારે દેશવાસીઓનું જીવન જ સૌથી મોટી પ્રાથમિકતા છે. કોરોના સામેના જંગમાં હું પીએમ કેર ફંડમાં રૂ. 25 કરોડ જમા કરાવી રહ્યો છું. જાન હૈ તો જહાન હૈ.’
કોણે કેટલી મદદ કરી
- તાતા જૂથ - 1000 કરોડ
- તાતા ટ્રસ્ટ - 500 કરોડ
- વેદાંતા - 100 કરોડ
- હીરો - 100 કરોડ
- બજાજ - 100 કરોડ
- સન ફાર્મા - 25 કરોડની દવા
- રિલાયન્સ- 5 કરોડ, 100 બેડનું સેન્ટર
- પેટીએમ - 5 કરોડ
- પાર્લે બિસ્કિટ- 3 કરોડ પેકેટ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39lX9sN
Comments
Post a Comment