હોમ ક્વોરન્ટાઇનમાં રહેનારા લોકોનો કોમન પ્રશ્ન,‘પાડોશમાં રહેતા લોકો કોઈ જ મદદ નથી કરતા, અમને ફૂડ પહોંચાડો’

કોરોના વાઇરસ મોટે ભાગે વિદેશથી ટ્રાવેલ કરીને આવનારા લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે. જેના કારણે વિદેશથી આવેલા લોકોને સરકાર હોમ ક્વોરન્ટાઇન કરી રહી છે. જે સંદર્ભે 22 માર્ચ પહેલા વિદેશોમાંથી ગુજરાતમાં આવેલા લોકોનો ડેટા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલને આપવામાં આવ્યો છે. જે લોકો ક્વોરન્ટાઇનમાં છે તેઓની માહિતી એકઠી કરવાની અને જેઓ ના પાડે તેમનું કાઉન્સેલિંગ કરવું. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ અને શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે.
લોકોના કાઉન્સેલિંગ માટે ખાસ તજજ્ઞોની ટીમને પણ ખાસ આ કંટ્રોલ સેન્ટર પર રાખવામાં આવી છે. જેથી હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ મળે.
સોશિયલ-સાઇકોલોજિકલ સપોર્ટ કરે છે
- હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિની સ્વાસ્થ્ય અને હાલની સ્થિતિની માહિતી મેળવાય છે
- તેમના કુટુંબની જરૂરિયાતો પૂછવામાં આવે છે, મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા પ્રયત્નો કરાય છે
- હોમ ક્વોરન્ટાઇન થયેલી વ્યક્તિને સોશિયલ સપોર્ટ અને સાઇકોલોજિકલ સપોર્ટ આપવામાં આવે છે
વિદેશથી આપેલા 20 હજાર લોકોમાંથી 400 જેટલા લોકોએ સેલ્ફ કોરન્ટાઇનનો સ્વીકાર કર્યો છે. તેઓએ જાતે જ માહિતી આપી હતી કે, તેઓ વિદેશથી આવ્યા છે અને તેઓ પોતે જાતે જ કોઇના સંપર્કમાં ન આવે તે રીતે ઘરમાં જ રહે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33T6lnm
Comments
Post a Comment