સર ટી.હોસ્પિટલમાં દર મહિને દસેક બિનવારસી દર્દીને અપાય છે સારવાર


ભાવનગર : શહેરની સર.ટી.હોસ્પિટલમાં દર મહિને બિનવારસી દર્દીઓના કેસ આવે છે. જેમાં તેમને અોર્થોપેડિક, માનસીક, સર્જરીને લગતી સારવાર હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવે છે. રસ્તા પર રખડતા બિનવારસી દર્દીઓને 108 મારફત સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જેમાં દર્દીઓનું કોઇ પણ વારસદાર ન હોય હોસ્પિટલ પોતે જ વારસદાર બની દર્દીઓ માટે જ્યાં સુધી સંપૂર્ણ સારવાર ન થાય ત્યાં સુધી 24 કલાક સ્પેશિયલ એટેન્ડન્ટ રાખી તેમની સંપૂર્ણ સેવા જેમકે સાફ-સફાઇ, સમયસર જમવાનું, સમયસર દવા આપવાની વગેરે તમામ જરૂરી સેવાઓ સ્પેશિયલ એટેન્ડન્ટ દ્વારા પુરી પાડવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2xwlL4Y

Comments