માંગરળ તાલુકાના ઝંખવાવ ગામે સોસિયલ ડિસ્ટન્સના અભાવે શાકભાજીની દુકાન ઉપર ભીડ જમા કરનારા ત્રણ શાકભાજીના વેપારી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.હાલમાં કોરોના વાયરની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારના નીતિ નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે. ઝંખવાવ ચાર રસ્તા ઉપર લોકડાઉનમાં છૂટના સમય દરમિયાન શાકભાજી વેચનારા ઈમ્તિયાઝ ગુલામ કાગદી, અસ્ફાક યુસુફ ખટીક (ઝંખવાવ), ઉર્મિલાબહેન સુધિરભાઈ ચૌધરી આ ત્રણે શાકભાજીનો વેપાર કરનાર વેપારીઓ પોતાની દુકાન ઉપર સોસિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરી વેપાર કરી રહ્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2W8DwA8
Comments
Post a Comment