વાઘોડિયા રોડ પર આવેલા ચાર મેડિકલ સ્ટોરમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનું જણાતા પાણીગેટ પોલીસે ચાર વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.વાઘોડિયા રોડ પર ઉમા મેડિકલ પાસે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં હસમુખ કાળુભાઈ વાઘેલા તથા અપના બજાર દવાની દુકાન પાસે પણ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં કરણ અરવિંદભાઈ ડાબેરિયા સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત વાઘોડિયા રોડ પર આવેલા વિનેશ મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરની દુકાન પાસે પણ સોશિયલ ડિસ્ટન્સ ન જોવા મળતાં વિમલ ભરત પટેલ સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે વાઘોડિયા રોડ પર શ્રીજી મેડિકલ નામની દુકાન પાસે પણ સોશિયલ ડિસ્ટન્સ ન જોવા મળતાં પોલીસે સંજય બાબુભાઈ દેસાઈ સામે ગુનો નોંધ્યો હતો. રાવપુરામાં આશા મેડિકલ પાસે જાહેરમાં ફરનારા જીગ્નેશ પટેલ અને જનક વાસુદેવ સામે પણ ગુનો નોંધ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zMzxlb
Comments
Post a Comment