તરસાડીમાં પત્ની પર આડા સંબંધનો વહેમ રાખી બાપે બાળકીને ઢોરમાર મારી બાળકીની હત્યા કરી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે હત્યા બાપને મંગળવાર રાત્રિના બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે રહેતો જયેશ મંગાભાઈ વસાવા માછલી પકડવાના કામ અર્થે ઘરની બહાર રહેતા હોય. તેમની ગેરહાજરીમાં પત્ની કાજલ કોઈ વ્યક્તિ સાથે આડ સંબંધ ધરાવતી હોવાનો તેમને વહેમ હતો. આ વહેમને કારણે અવાર નવાર પત્ની કાજલ સાથે ઝઘડો કરતાં હતાં. સૌથી નાની દોઢ વર્ષની દીકરી વૈશાલી આ આડસંબંધને કારણે આવી હોવાનો વહેમ રાખતો હતો અને આ બાબતે પત્નીને મારઝુડ કરી મારી પુત્રી નથી. તેમ જણાવતો હતો. શનિવાર રાત્રિના આડ સંબંધના વહેમમાં પત્નીને મારી હતી. ત્યારે દોઢ વર્ષની પુત્રી વૈશાલી રડતી હોય. ગુસ્સામાં આવીને જયેશ પુત્રી વૈશાલીને માર મારી મોતને ઘાટ ઉતારી હતી. જેને કારણે દોઢ વર્ષની દીકરી વૈશાલીનું મોત થતાં જયેશ ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં મૃતક બાળકીની માત કાજલે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હત્યારાને પકડવા માટે કોસંબા પોલીસ બાતમીદારનું નેટવર્ક સક્રીય થતાં મંગળવારે સાંજે પંડવાઈ સુગર તરફ જતા રોડ પર શુભમ રેસીડેન્સીની સામે આવેલ ખેતરાડી માંથી તેને ઝડપી પાડ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bRoEMZ
Comments
Post a Comment