સોમવારથી દોડશે નિયમિત ટ્રેનો ઇન્ડિગો-સ્પાઇસજેટ દિલ્હી જશે, લગભગ 10,000 મુસાફરો પોતાના ઘરે ગયા

1 જૂનથી 200 નિયમિત ટ્રેનોનું સંચાલન રેલવે દ્વારા કરવામાં આવશે. જેને લઈ સુરત સહિત મુંબઇ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર નિયમો મુજબની તૈયારીઓ થઈ ચૂકી છે.વેટિંગ મુસાફરો માન્ય નહિ ગણાશે અને સિટ ટૂ સિટ મુસાફરો બેસશે. સુરતથી થઈને તાપ્તિગંગા સહિત 11 ટ્રેનો દોડશે. શનિવારે સુરતથી ઓરિસ્સા માટે 6 શ્રમિક ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં લગભગ 10,000 મુસાફરો પોતાના ઘરે ગયા હતા. જ્યારે પ.બંગાળ માટે 4 શ્રમિક ટ્રેન રવિવારે ઉપડશે. શનિવારે સ્પાઇસ જેટ એરલાઇન્સની 4 ફલાઇટ રદ કરાઇ હતી. રવિવારે ઇન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સની દિલ્હીની ફલાઇટને કાર્યરત રાખતા સુરત એરપોર્ટથી ફલાઇટ ટેકઓફ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2ZOVafD

Comments