કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન ખોટકાઈ, દર્દીઓ ગભરાયા, કોવિડ હોસ્પિટલમાં કોરોનાના 250 જેટલા દર્દીઓ સારવાર માટે દાખલ છે
નવી સિવિલની કોવિડ 19 હોસ્પિટલમાં શનિવારે ઓક્સિજનની લાઈનમાં ખામી સર્જાતા દાખલ દર્દીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો.
નવી સિવિલ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના 250 જેટલા દર્દીઓ સારવાર માટે દાખલ છે. જેમાંથી 107 દર્દીઓ ગંભીર હાલતમાં છે અને તેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર, 19 દર્દીઓ બાઈપેપ પર અને 83 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. ત્યારે શનિવારે બપોરે કોવિડ 19 હોસ્પિટલમાં આઈસીયુ સહિતના વોર્ડમાં ઓક્સિજન પહોંચાડતી લાઈનમાં ખામી સર્જાઈ હતી. ઓક્સિજનની લાઈનમાં ખામીને કારણે ઓક્સિજનનો પ્રવાહ ખોરવાઈ જતા ગંભીર હાલતમાં દાખલ દર્દીઓનો જીવ અધ્ધર થઈ ગયો હતો. જોકે પેરેલલ ઓક્સિજન લાઈન પર તાત્કાલિક ઓક્સિજનનો પ્રવાહ શરૂ કરી દેવાયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XJu4nB
Comments
Post a Comment