30 જૂન પહેલા મેડિકલ PGની પરીક્ષા લેવા વીસીને રજૂઆત, . રાજ્ય સરકારની ગાઇડ લાઇન આવે ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવાશે

કોરોનાની મહામારીમાં રાજ્યની હોસ્પિટલોને ડોક્ટરો મળી રહે તે માટે એમસીઆઇએ 30મી જૂન પહેલા પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા પૂર્ણ કરવા તાકીદ કરી છે. પણ હાલ રાજ્યમાં કોરોનાની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે પરીક્ષા મોકૂફ કરી છે. જેને પગલે વિદ્યાર્થીઓમાં નારાજગી છે. બુધવારે સ્મીમેર મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટના પાંચ વિદ્યાર્થીઓએ વીએનએસજીયુના કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાને મળી 30મી જૂન પહેલા પરીક્ષા લેવાય તે માટે રજૂઆત કરી હતી. આ અંગે મેડિકલ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડીન ચિન્ટુ ચૌધરીએ કહ્યું કે, એમસીઆઇની તાકીદ બાદ અમે પરીક્ષાનું ટાઇમ ટેબલ બનાવ્યું હતું પણ રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ કરી છે. રાજ્ય સરકારની ગાઇડ લાઇન આવે ત્યાર બાદ જ કોઈ નિર્ણય લેવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2XKuBp8

Comments