56,942 શ્રમજીવી 41 ટ્રેન દ્વારા વતન રવાના

વડોદરા શહેરમાં રહેતા વિવિધ રાજ્યોના શ્રમજીવીઓને પરત મોકલવાની ચાલી રહેલી કામગીરી ગુરુવારે બપોરે વિરામ લેશે. શહેર-જિલ્લામાંથી કુલ ૪૧ ટ્રેન દ્વારા વિવિધ રાજ્યોના 56942 શ્રમજીવીઓને વતન મોકલવામાં આવ્યા છે.
જે પૈકી બુધવારે સવારે ઓરિસ્સા અને રાત્રે 12:30 વાગે કલકત્તા માટે ટ્રેન રવાના થઈ હતી. ગુરુવારે બપોરે ૧૨ વાગે શહેરમાંથી છેલ્લી ટ્રેન કલકત્તા માટે જશે આ સાથે શ્રમજીવીઓને ટ્રેન દ્વારા વતન મોકલવાની કામગીરી પૂરી થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2X9sNHq

Comments