લોકડાઉનમાં કારીગરો વતન ગયા છે ત્યારે મિલ માલિકો દ્વારા કારીગરોને લોકડાઉનના બે માસનું વેતન ચુકવીને પરત લાવવાની સુવિધા કરવા સહિતની માંગ સાથે સાઉથ ગુજરાત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા કલેકટરને રજુઆત કરાઈ છે.
કાઉન્સિલના હોદ્દેદાર કામરાન ઉસ્માનિએ કહ્યું કે, મિલો બંધ રહેતા કારીગરોની હાલત કફોડી થઇ હતી. તેઓને પગાર ચુકવ્યો ન હતો. રૂમના ભાડાની કે અન્ય વ્યવસ્થા કરી ન હોવાથી કારીગરો વતન ગયા છે. હવે રાજ્ય સરકારે એકમો શરૂ કરવા સુચના આપી છે. પણ કારીગરો ન હોવાથી એકમો કેવી રીતે શરૂ થશે. જેથી આ કારીગરોને લોક ડાઉન સમયનો નુન્યત્તમ એટલે રૂ.3000 જેટલો પગાર તેમના ખાતામાં જમા કરાવવા તેમજ કારીગરોને પરત લાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવા માટે માગ કરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cgQAco
Comments
Post a Comment