મગદલ્લા ઓએનજીસી બ્રિજની નીચે તાડીનો નશો કરી બે મિત્રોએ જુની અદાવતમાં એકબીજા પર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેના કારણે બંનેનેે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉમરા પોલીસે સામ-સામી હત્યાની કોશિશનો ગુનો ભરત બાબુ રાઠોડ અને મનીષ રાજુ રાઠોડ સામે નોંધ્યો છે. પિપલોદ સારસ્વત નગરમાં રહેતા મનીષ રાજુ રાઠોડનો સાતેક વર્ષ પહેલા, જયારે પિપલોદ હળપતિવાસમાં રહેતો હતો તે વખતે મહોલ્લામાં રહેતા ભરત બાબુ રાઠોડ જોડે મારામારી થઈ હતી. આ ઝઘડાની અદાવતને કારણે મનીષ રાઠોડે બદલો લેવા આ હુમલો કર્યો હતો. 15 દિવસ પહેલા મનીષ રાઠોડ, ભરત રાઠોડ સાથે બોલતો થયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2U4UFun
Comments
Post a Comment