વરાછામાં મહિલાનો બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડો ચાલતો હોવાથી અલગ રહે છે
મોટા વરાછા ખાતે હીરાદલાલની પત્નીએ બે સંતાનો સાથે ઉંદર મારવાની દવા દૂઘમાં નાખી પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સંતાનોને માતાએ કહ્યું કે હું જીદંગીથી કંટાળી ગયેલ છું, જેથી હું મરી જાઉ અને તમને પણ મારી નાખું તેમ કહી ઉંદર મારવાની દવા દૂધમાં નાખી પીવડાવી દીધી હતી.સંતાનોને ઉલ્ટી થતા મહિલાએ તેના ભાઈને કોલ કર્યો હતો. ભાઈએ ત્રણેયને હોસ્પિટલ લઈ ગયો હતો. ત્રણેયની તબિયત હાલમાં સ્થિર છે. પતિએ પત્ની લતા જીતેશ લાઠીયા(33)(શ્રીનિધી એપાર્ટ, મોટા વરાછા)વિરૂધ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડો ચાલતો હોવાથી અલગ રહે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36PVNqx
Comments
Post a Comment