વડોદરાની ફ્લાઇટ , અમદાવાદ સાથે મર્જ કરી દેવાશે

દિલ્હી-વડોદરા વચ્ચે શરૂ થયેલી એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરોની સંખ્યા નહિવત જોવા મળે છે ત્યારે એર ઇન્ડિયા દ્વારા વડોદરાની ફ્લાઈટ વાયા અમદાવાદ કે સુરત સાથે મર્જ કરવા કવાયત હાથ ધરાઇ છે. બુધવારે વડોદરાની ફલાઇટ વાયા અમદાવાદ થઈ 45 મિનિટ મોડી આવી હતી. વડોદરાથી બુધવારે 79 લોકો દિલ્હીથી આવ્યા હતા. પરત જવા એર ઇન્ડિયામાં 53 અને ઇન્ડિગોમાં 48 પેસેન્જર હતા. બેંગ્લોર માટે ૨૪ મુસાફરો આવનાર અને ૩૮ જનાર હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3er5EWx

Comments