કેન્દ્ર સરકારે મંગળવારે અનલોક-2 માટે ગાઈડલાઈન જારી કરી. અનલોક-2માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ગાઈડલાઈન પ્રમાણે દુકાનો પર 5 કરતા વધારે લોકોની એન્ટ્રી આપવામાં આવશે. જોકે તે સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.આ ઉપરાંત સરકારે નાઈટ કર્ફ્યૂમાં આપવામાં આવેલી છૂટને એક કલાક વધારી છે. હવે લોકો સવારે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી બહાર રહી શકશે.
અનલોક-1 | અનલોક-2 | |
નાઈટ કર્ફ્યૂ | રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ હતો | રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નિકળવા પર પ્રતિબંધ.એટલે કે લોકો એક કલાક વધારે ઘર બહાર નિકળી શકશે |
ફક્ત આવશ્યક સેવા માટે છૂટ હતી | શિફ્ટમાં કામ કરતા લોકો પણ જઈ શકે છે. બસો, ટ્રેનો અને વિમાનથી ઉતરી લોકો ઘરે જઈ શકશે | |
દુકાન | એક સમયમાં 5 લોકોને મંજૂરી આપવામાં આવી હતી | હવે પાંચથી વધારે લોકો સામાન ખરીદી શકે છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી |
ઘરેલુ ઉડ્ડયન સેવા તથા ટ્રેનોમાં વધારો થશે
નવી ગાઈડલાઈનમાં સરકારે કહ્યું છે કે ઘરેલુ ઉડ્ડયનો અને પેસેન્જર ટ્રેનોને હવે મર્યાદિત રીત ચલાવવામાં આવશે. તેમ જ તેમા વધારો કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dJzhBJ
Comments
Post a Comment