ઉધના સ્વામિનારાયણ મંદિર પાસે ચાર રસ્તા નજીક કૉર્નર પર પાર્ક કરેલી એક મારૂતિ ઓમની કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કોઈક રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં તો સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી ગઈ હતી. બિસમાર હાલતમાં પડેલી આ કાર કોની હતી અને ત્યાં શા માટે પાર્ક કરેલી હતી તે જાણી શકાયું ન હતું. જોકે નાસ્તાના વેચાણે કે કોઈ અન્ય ધંધા માટે આ વાનનો ઉપયોગ થતો હોય અને તેના માટે ત્યાં પાર્ક કરી રાખતા હોય તેવી શંકા સેવાઈ રહી છે. મોડે સુધી વાનનો કોઈ માલિક સામે આવ્યો ન હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CY1hVB
Comments
Post a Comment