બીએ, બીકોમ, બીએસસીના અભ્યાસક્રમમાં ફેરફાર થશે

કોરોનાની મહામારી વચ્ચે વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા બી કોમ બી.એ અને બીએસસીના અભ્યાસક્રમમાં ફેરફાર કરવાનું મહત્વનો નિર્ણય મંગળવારે મળેલી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીની એકેડમીક કાઉન્સીલની બેઠકમાં કરવામાં આવેલા નિર્ણય મુજબ આર્ટસ ફેકલ્ટીના બી.એ, કોમર્સ ફેકલ્ટીના બી.કોમ તેમજ સાયન્સ ફેકલ્ટીનાં બી.એસ.સીના કોર્ષના અભ્યાસક્રમમાં મહત્તમ ફેરફાર કરવાનું નક્કી કર્યંુ છે. આ ઉપરાતં પોલીટીકલ સાયન્સ, હિન્દી, સંસ્કૃત, મેનેજમેન્ટ તેમજ સોશ્યોલોજી ‌સહિતના વિવિધ અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવાનું નક્કી કરાયંુ છે. યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા વર્ષોથી કોઇ ફેરફાર કરાયા જ ન હોવાથી શિક્ષણવિદોએ આ બદલાવ સ્વિકાર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3dOhNUX

Comments