વડોદરામાં કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીની તબિયત લથડી, મોડી રાત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકીની વડોદરા હોસ્પિટલમાં તબિયત બગડતા મોડી રાત્રે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું. રાજ્યમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 600થી વધુ કોરોનાના કેસો નોંધાય રહ્યાં છે, જે ચિંતા ઉપજાવે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 626 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. 440 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસનો આંકડો 32023 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1828 થયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 23248 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

રાજ્યસભાની ચૂંટણી બાદભરતસિંહનોરિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ભરતસિંહ સોલંકીની તબિયત વધુ બગડતાં તેમને વડોદરાની હોસ્પિટલમાંથી અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરાયા છે. રાજ્યસભાની ચૂંટણી બાદ તબિયત લથડતાં તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરાના માંજલપુરની બેન્કર્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સોમવારે તેમની તબિયત વધુ બગડતાં તેમને મોડી સાંજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50,પાટણમાં 20, રાજકોટમાં 13, આણંદમાં 11, મહેસાણા, અમરેલીમાં 10-10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 7, જામનગર, અરવલ્લીમાં 6-6, ભાવનગરમાં 5, ગીર-સોમનાથ, જૂનાગઢમાં 3-3, ગાંધીનગર, નવસારી, કચ્છમાં 2-2, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, બોટાદમાં 1-1 અને અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.

છેલ્લા 16દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ, અમદાવાદમાં 5દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)

કુલ 32,023 દર્દી,1,828 ના મોત અને 23,248 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 20,716 1,432 15,831
સુરત 4,630 154 3143
વડોદરા 2215 47 1516
ગાંધીનગર 638 29 463
ભાવનગર 253 13 150
બનાસકાંઠા 177 10 154
આણંદ 207 13 175
અરવલ્લી 202 18 163
રાજકોટ 263 7 123
મહેસાણા 269 10 136
પંચમહાલ 173 15 136
બોટાદ 86 3 69
મહીસાગર 134 2 112
પાટણ 195 15 109
ખેડા 152 6 104
સાબરકાંઠા 170 9 115
જામનગર 198 4 95
ભરૂચ 220 9 102
કચ્છ 153 5 91
દાહોદ 59 0 43
ગીર-સોમનાથ 73 1 47
છોટાઉદેપુર 55 2 37
વલસાડ 130 3 55
નર્મદા 89 0 37
દેવભૂમિ દ્વારકા 22 1 15
જૂનાગઢ 93 2 47
નવસારી 95 1 41
પોરબંદર 16 2 10
સુરેન્દ્રનગર 138 7 70
મોરબી 20 1 8
તાપી 8 0 6
ડાંગ 4 0 4
અમરેલી 82 6 31
અન્ય રાજ્ય 87 1 8
કુલ 32,023 1,828 23,248


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભરતસિંહ સોલંકી - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3g8Zjju

Comments