સરકારી પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઇન લર્નિંગમાં પડતી મુશ્કેલીનું નિરાકરણ કરવા માટે શિક્ષકોએ અઠવાડીયામાં ઓછામાં ઓછા એક વખત ફોન પર કે રૂબરૂ સંપર્ક કરવા માટે શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે. રાજ્યની સરકારી શાળાઓમાં કોરોનાના કારણે વેકેશન 30જૂન સુધી લંબાવી દેવામાં આવ્યું હતું. 1 લી જુલાઇથી શાળાઓ શરૂ કરાશે. પરંતુ વિદ્યાર્થીઓને શાળા પર નહીં બોલાવી ઓનલાઇન હોમ લર્નિંગ દ્વારા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. શાળાનો સમય પણ સવારે 7.30થી 12.00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જોકે, શિક્ષકોને સુચના મુજબ હાજર રહેવું પડશે. તેમજ અઠવાડીયામાં એક વખત વિદ્યાર્થીને ફોન પર સંપર્ક કરવાનો રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2NKuKVe
Comments
Post a Comment