પરિણીતા પર દુષ્કર્મ કેસમાં સાળા-બનેવી સામે ફરિયાદ

ઇચ્છાપોરમાં રહેતી પરીણિતાને પ્રેમજા‌ળમાં ફસાવી બળાત્કાર ગુજારવાના બનાવમાં સાળા-બનેવી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. પરીણિતાને બનેવીના ઘરે લઇ જઇ બ‌ળાત્કાર ગુજારતા એ પણ ફસાયો છે.

ઇચ્છાપોર ગામ ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતો જીગર ગણપત પટેલ પરીણિત છે. તેને બે સંતાન છે. જીગરે 3 વર્ષથી એક પરીણિતાને પ્રેમજાળમાં ફસાવી હતી. તે પોતાની કારમાં આ પરીણિતાને અલગ અલગ સ્થળે ફરવા લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પણ ઓલપાડના પિંજરતમાં રહેતા બનેવી મનિષ પટેલના ઘરે લઇ જઇ તેના બાળકને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, આ જીગરના કરતુતથી પરીણિતા ત્રાસી ગઇ હતી. તા.25મી જૂને જીગરે મળવા બોલાવતા તેણીએ આવવાનો ઇન્કાર કરતા જીગર ઉશ્કેરાયો અને પરીણિતાના ઘરે પહોંચી જઇ મારમારી તોડફોડ કરી હતી. બનાવ અંગે ભોગ બનનારે ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાળા અને બનેવી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BVqTBI

Comments