ભારતીય વાયુદળના સૌથી ઘાતક 5 રાફેલ યુદ્ધ વિમાન બુધવારે પ્રથમવાર દેશની ધરતી પર પહોંચશે. યુએઇના અલધાફરા એરબેઝથી ઉડ્ડયન કર્યા પછી આ વિમાન સીધા હરિયાણાના અંબાલા સ્થિત એરબેઝ પર લેન્ડ કરશે. બપોર સુધીમાં વિમાન પહોંચવાની ધારણા છે. 5 વિમાનમાંથી પ્રથમ વિમાનનું વાયુદળની 17મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર અને શૌર્યચક્ર વિજેતા ગ્રૂપ કેપ્ટન હરકીરતસિંહ લેન્ડ કરાવશે. ત્યારપછી બાકીના ચાર વિમાન લેન્ડ કરશે. આ પ્રસંગે વાયુદળના વડા આર.કે. ભદૌરિયા પણ હાજર રહેશે.
મકાનોની અંદરથી ફોટોગ્રાફી પર પણ પ્રતિબંધ
- અંબાલા એરફોર્સ સ્ટેશનની આજુબાજુ કલમ 144 લાગુ કરાઈ છે.
- એરફોર્સ સ્ટેશન સંબંધિત તમામ સ્થળે ફોટો લેવા પર પ્રતિબંધ
- એરફોર્સ સ્ટેશનની નજીકના મકાનોની અંદરથી ફોટો નહીં લેવાય.
- 3 કિલોમીટર સુધી ડ્રોન કેમેરાના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો
- એરફોર્સ સ્ટેશન તરફ જતા રસ્તા પર નાકાબંધ કરવામાં આવી.
- શહેરમાં તમામ સ્થળે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2X6eNh1
Comments
Post a Comment