કોરોના મહામારી વચ્ચે હવે ડેન્ગ્યુથી વરાછાના 1નું મોત

કોરોના મહામારી વચ્ચે હવે ડેન્ગ્યુથી વરાછાના એક યુવકનું મોત નીપજ્યું હતું. વરાછા ત્રિકમનગર પાસે હેપ્પી બંગ્લોઝમાં રહેતા વિરલભાઈ રમેશભાઇ કોરાટ(33) છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા. પ્રાઇવેટ ક્લિનિકમાં તેમણે રિપોર્ટ કરાવતા શરૂઆતમાં તેમને ન્યુમોનિયા હોવાનું નિદાન થયુ હતુ. ત્યારબાદ તેમણે પુણાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં વિરલભાઈને ડેન્ગ્યુની અસર હોવાનું નિદાન થયું હતું. જોકે, ત્યાં વિરલભાઈની તબિયત વધુ લથડતા તેમને ત્યાંથી મંગળવારે સવારે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં અચાનક જ તેમના હૃદયના ધબકારા બંધ થતાં મોત નીપજ્યું હતું. પીએમની તજવીજ હાથ ધરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/312uWoG

Comments