હાલમાં રાંદેર બાદ અઠવા ઝોનમાં સૌથી વધુ કોરોનાના કેસ મળી રહ્યા છે. જેથી જે સોસાયટીમાં વધુને વધુ કેસ મળે તે સોસાયટીને ક્લસ્ટર કરાઇ રહી છે. બુધવારે પાલિકાએ વધુ 4 વિસ્તારને ક્લસ્ટર જાહેર કરી 300 ઘરમાં રહેતા 655 લોકોને બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ ક્વોરોન્ટાઇનમાં રહેવા હુકમ કર્યો છે. પાલિકાએ સિટીલાઇટ વિસ્તારમાં આવેલ મોનાલીસા એપાર્ટમેન્ટ એ બિલ્ડિંગ, ન્યુ સિટીલાઇટ સ્થિત નવકાર દર્શન સોસાયટી, પીપલોદમાં આવેલ સાગર એપાર્ટમેન્ટ અને ભટારમાં સોહમ સર્કલ પાસે આવેલ સુમન અમૃત આવાસ બી બિલ્ડિંગને ક્લસ્ટર જાહેર કરી છે. આ તમામ સોસાયટીઓના લોકોને હોમ ક્વોરન્ટાઈન રહેવા આદેશ કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/338Yqnx
Comments
Post a Comment