દર્દીની સારવાર કરતાં શહાદત પામેલા 17 તબીબોના પરિવારને 50 લાખના વીમા કવચ હેઠળ આવરી લઈ આર્થિક સહાય પેટે ચૂકવવાની માગણી કરતો પત્ર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો છે.
આઈએમએ ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશ, સેક્રેટરી ડો. કમલેશ સૈનીએ જણાવ્યું છે કે, કોવિડ-19ની મહામારીમાં 350 તબીબો સંક્રમિત થયા છે અને તેમાંથી 17 તબીબો દર્દીની સારવાર કરતા મૃત્યુ પામ્યા છે. આ ડોક્ટરોને 50 લાખના વીમા કવચ હેઠળ આવરીને તેમના પરિવારોને આર્થિક સહાય પેટે 50 લાખ ચૂકવવામાં આવે. ઉપરાંત મેડિકલ સ્ટુડન્ટ્સને ડરાવી ફરજિયાત કોવિડની કામગીરી કરાવવા સામે પણ ઇન્ડિયન મેડિકલ એસો.એ વિરોધ પ્રગટ કર્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fcMzay
Comments
Post a Comment